Month: June 2024

ચંદ્રનગર ખોખરામાં ઝઘડાનું બે જૂથ વચ્ચે મનદુઃખ રાખી ધિંગાણું, ચાર ઘાયલ

copy image અંજાર તાલુકાના ચંદ્રનગર ખોખરામાં બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. મારામારીના આ બનાવમાં બંને પક્ષના ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હતી. ચંદ્રનગર ખોખરાના રબારીવાસમાં રહેનાર શખ્સએ આરોપીઓ  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગામમાં વડવાળા નામની પાન-મસાલાની દુકાન ચલાવે છે . ગત તા. 1/6ના સાંજના ફરિયાદી તથા તેમના મિત્ર  દુકાને હતા ત્યારે બાજુની દુકાનવાળા આરોપી  અગાઉના ઝઘડાનું  મનદુ:ખ રાખી ત્યાં આવી ફરિયાદીને લાકડી મારવા જતાં તેના મિત્રએ  હાથ આડો કરતાં તેને લાકડી લાગી હતી.  બાદમાં  આ બંનેને માર મારવામાં આવ્યો હતો. થોડીવારમાં બે શખ્સો  પણ ત્યાં આવી ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં આરોપી   કાર લઇ આવી ફરિયાદી તથા તેના મિત્ર  પર જીવ લેવાના ઇરાદે ચડાવવા જતાં ફરિયાદી હટી ગયા હતા જ્યારે તેના મિત્રને તેમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે રાડારાડ થતાં અરોપી નાસી ગયા હતા. ઘવાયેલા આ બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા. બીજીબાજુ...