૨૭ જૂન ૨૦૨૫ ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા સંદર્ભે પત્રકારો સાથે સંકલન મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું


અમદાવાદમાં ૨૭ જૂન ૨૦૨૫ ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા સંદર્ભે આજ રોજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ડી.સી.પી અજીત રાજ્યન દ્વારા પત્રકારો સાથે સંકલન મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું,
ગુજરાત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે ડી.સી.પી અજીત રાજ્યન દ્વારા ૨૭ જૂન ૨૦૨૫ ના રોજ પોતાના ભગવાન જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા દરમિયાન A.I, ડ્રોન ની મદદ થી Live મોનીટરીંગ કઈ રીતે કરવામાં આવશે તે બાબતે પત્રકારો સાથે સંકલન મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી,
ક્રાઈમ બ્રાન્ચ ખાતે ડી.સી.પી અજીત રાજ્યન દ્વારા પત્રકારો સાથે સંકલન મિટિંગ નું મુખ્ય કારણ ૨૭ જૂન ૨૦૨૫ ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા દરમિયાન જો કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ કે ઈસમો ની માહિતી હોય કે જણાઈ આવે તથા કોઈ પણ ઘટના ન સર્જાય પણ જો એવી કોઈ પણ આકસ્મિક ઘટના સર્જાય તે દરમિયાન તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ નું ધ્યાન દોરે સહિત અનેક મુદ્દાઓ બાબતે સંકલન કરવામાં આવ્યું હતું