ભારતીય જનસંઘના સ્થાપક સ્વ. શ્રી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી નિમિતે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી”


આજરોજ ભારર્તીય જનસંઘના સ્થાપક સ્વ. શ્રી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી નિમીત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ હતું.
ઉપરોક્ત પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે શ્રદ્ધાજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે સ્વ શ્રી ડો. શ્યામાપ્રસાદ મુખરજીની દિવ્યચેતના, દિર્ઘદ્રષ્ટિપૂર્ણ રાષ્ટ્રવાદી ચિંતન અને રાષ્ટ્રસેવામાં સમર્પિત સમગ્ર જીવન આપના સૌ માટે સદાય પ્રેરણાદાયી બની રહેશે, આજરોજ તેમની પુણ્યતિથી નિમિતે સ્વ. શ્રી મુખર્જીએ બતાડેલ પંથ પર પ્રભુ ચાલવાની શક્તિ આપે એજ પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
ઉપરોક્ત પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ભારતીય જનસંઘના સ્થાપક સ્વ. શ્રી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું જીવન રાષ્ટ્રીય એકતા, સંસ્કૃતિક સમર્પણ, શિક્ષા અને વિકાસના નવીન વિચારોનું એક અદભૂત સંગમ હતું ભારતની અખંડિતતા માટે તેમણે કરેલા પ્રયાસો માટે દેશવાસીઓ સદા તેમના ઋણી રહેશે.
ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ શ્રધ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે સ્વ શ્રી શ્યામાપ્રસાદ મુખરજીએ અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત હતા, રાષ્ટ્રને સર્વોપરી રાખવાની તેમની વૈચારિક ચેતના એ તેમની દીર્ઘદ્રષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે. આજરોજ તેમની પુણ્યતિથી નિમિતે તેમને હું કોટી કોટી વંદન કરું છું.
ઉપરોક્ત પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પચાણભાઈ સંજોટ, કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ શાહ, કચ્છ જીલ્લા ભાજપના મંત્રી વીંજુબેન રબારી, કચ્છ જીલ્લા ભાજપના મંત્રી પ્રફુલસિંહ જાડેજા, કચ્છ જીલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ તાપસભાઈ શાહ, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા કમલભાઈ ગઢવી, ભુજ નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિના ચેરમેન ક્રિષ્નાબા જાડેજા, નગરસેવક સાવિત્રીબેન જાટ, ધીરેનભાઈ શાહ, જીલ્લા સંગઠનના હોદ્દેદારો, શહેર સંગઠનના આગેવાન તથા સામાજીક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને શ્રધ્ધાંજલિ આપી હતી.