ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજીને બલિદાન દિવસે પુષ્પાંજલિ અપાઈ


યુવા મોરચા દ્વારા રકતાંજલિ અર્પણ કરાઈ*
કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ તા. 23/6/25 ના રોજ બલિદાન દિવસે જનસંઘના સ્થાપક એવા ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિતે કચ્છ જિલ્લાના લગભગ તમામ બુથો પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાથે સાથે શ્રી મુખરજીના જીવનચરિત્ર વિશે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનો દ્વારા ભુજ મધ્યે કાશ્મીરની અખંડિતતા અને સૌહાર્દને જાળવી પોતાનું બલિદાન આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આજ રોજ સમગ્ર કચ્છમાં દરેક બુથમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલિ આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ 6 જુલાઈ 1901 ના થયો હતો અને તેઓ માત્ર 53 વર્ષના આયુમાં જ ત્યાગ, બલિદાન અને સમર્પણની અમિટ છાપ મૂકી ગયા હતા. તેઓ મૂળભૂત સ્વભાવથી શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિ હતા અને 33 વર્ષની ઉંમરમાં જ તેઓ કલકતા યુનિવર્સિટી ના ઉપકુલપતી બન્યા હતા. ત્યારબાદ રાજકીય કારકિર્દીમાં તેમને પ્રથમ વચગાળાની સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.
પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે શ્યામપ્રસાદ મુખર્જી અમારા માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત છે. તેમનું જીવન ચરિત્ર દરેક કાર્યકરને રાષ્ટ્ર્ર માટે કાર્ય કરવાની પ્રેરણા આપે છે. તેમણે કાશ્મીરના ભારત સાથે પૂર્ણ એકીકરણ માટેના તેમના સંઘર્ષને યાદ કરીને તેમને ભાવભેર વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ સતા માટે રાજકારણમાં ન હતા કે ના તો તેમણે ક્યારેય સતામોહ માટે રાજકીય સમાધાનો નહોતા કર્યા. તેમણે કાશ્મીર માટે એક દેશ દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહીં ચલેગા નું સૂત્ર આપી જંગ છેડીને સત્યાગ્રહ કર્યો હતો. તેઓ 1951 ના ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ બન્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર, પચાણભાઈ સંજોટ, મંત્રી વિંજુબેન રબારી, પ્રફુલસિંહ જાડેજા, જીલ્લા ભાજપ યુવા મોરચા અધ્યક્ષ તાપસભાઈ શાહ, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મિત ઠકકર, જીલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ અનવરભાઈ નોડે સહિત આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
યુવા મોરચા દવારા રકતાંજલિ કાર્યક્રમ માં પણ આગેવાનો ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રત્સાહિત કર્યા હતા,રકતાંજલિ માટે યુવા મોરચાના દિવ્યરાજસિંહ ઝાલા,નિખિલ ગોર,હર્ષલ રાજગોર, મિત ગોસ્વામી, અનિલ ધુંવા, જૈમિન ગોર, ભવ્ય જેઠી, પ્રદીપસિંહ પીર, કૌશલ રૂડાણી, સહિત યુવા મોરચાના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઇ છાંગાએ પણ પોતપોતાના વિધાનસભા વિસ્તારમાં રહીને પુષ્પાંજલિ પાઠવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ ચેતન કતીરા તેમજ સંજય મહેશ્વરીની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.