અષાઢી બીજના દિવસે અડાલજ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

અડાલજ, ગાંધીનગર ખાતે શનિ મંદિર નજીક આવેલું શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર ઓડિશા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સેતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત થયેલ છે. આ સંકુલમાં આવેલું જગન્નાથ મંદિર પુરી જગન્નાથ મંદિરની રીતે બાંધવામાં આવ્યું છે, જે પુરી જગન્નાથ મંદિરના તમામ રીત-રિવાજોનું પાલન કરે છે અને સર્વજનીન બંધુત્વની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથનો સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ “જગન્નાથ રથયાત્રા” અડાલજના જગન્નાથ મંદિર ખાતે 27 જૂન 2025 (શુક્રવાર)ના રોજ વહેલી સવારથી થી સાંજે 6 વાગ્યા સુધી ઉજવવામાં આવશે.
રથયાત્રાનો ઉત્સવ સ્નાન પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે, જે 11 જૂનના રોજ ઉજવાયો હતો અને નીલાદ્રિ બિજય 8 જુલાઈ 2025 સુધી ચાલું રહે છે.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ