ભુજમાં યુવાને ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

copy image

copy image

ભુજમાં એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજમાં રહેતો મૂળ ઝારખંડનો 31 વર્ષીય એન્જિનીયર શશિકુમાર ટેકલાલ મહંતો પોતાના રૂમમાં હાજર હતો તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.