ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓની અેડમિશન માટે લાંબી-લાંબી લાઈનો લાગી હતી

હાલ એડમિશન પ્રવેશનો સમય ચાલે છે.ત્યારે માત્ર મર્યાદિત સંખ્યામાં જ એડમિશન મળી રહ્યા છે, જેના કારણે મોટાભાગના વિધ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહે તેવિ સ્થિતી સર્જાય રહી છે.કોલેજ દ્રારા અેવુ કહેવામાં આવે છે કે ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ મા  અેડમિશની જગ્યાજ નથી, તોઆ તો આ વિદ્યાર્થીઓ શું કરે , અા તકે મહુવા ABVP ના વિધ્યાર્થી પ્રતિનિધી શ્રી અમિતભાઈ  મકવાણા, યશપાલસિંહ જીંજકા, જતિનભાઈ  હિંગુ ઉપરાંત દરેક ABVP કાર્યકર્તાએ વિધ્યાર્થીઓને અન્યાય થવાની વાત જણાવી છે અને ખાસ કરીને મહુવા તથા મહુવા ગ્રામ્યના જ સામાન્ય મધ્યમ ગરીબ પરીવારના વિધ્યાર્થીઓ શિક્ષણથી અને એડમિશનથી વંચિત ન રહે જે બાબત સામે લડત આપવાની સાથે ઉગ્ર રજૂઆત કરી છે સાથે જ ABVP એ આ સ્થિતિ સર્જાયાની જાણ મહુવાના ધારાસભ્યશ્રી આર સી મકવાણા સાહેબને પણ કરવામાં આવી છે, તો ધારાસભ્યશ્રી એ પણ આ બાબત સહકાર આપી મહુવાના કોઈ વિધાર્થી  શિક્ષણથી વંચિત ન રહે અને કોઈને અન્યાય ન થાય તે બાબત જરુરી તમામ સહકાર આપવાની વાત કરી છે…

રીપોર્ટર:- ધર્મેશ મહેતા મહુવા..