રાપર તાલુકા ના સહકારી આગેવાન વાડીલાલ રતનશી સાવલા નો કોરોના રિપોર્ટ પોઝીટીવ રિપોર્ટ આવ્યો


હાલ કોરોના ના કહેર વચ્ચે સમગ્ર દેશમાં સાવચેત રહેવા માટે અનેક વખત સરકારી તંત્ર દ્વારા યોગ્ય સલાહ સુચન આપવામાં આવે છે છતાં પણ લોકો કોરોના વાયરસ અંતર્ગત કોઈ પગલાં ગંભીરતાથી લેતા નથી હાલ કોરોના વાયરસ ના રક્ષાત્મક ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે હવે કોરોનાનો કહેર યથાવત રહ્યો છે વાગડ વિસ્તારમાં કોરોના ના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે અગાઉ રાપર નગરપાલિકા ના સદસ્ય પ્રવિણ ભાઈ ઠક્કર. રાપર નગરપાલિકા ના પ્રમુખ ગંગાબેન શિયારીયા નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે ત્યારે આજે રાપર શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યો છે જેમાં અયોધ્યાપુરી ખાતે રેપિડ ટેસ્ટ મા કોરોના પોઝીટીવ કેસ હસમુખ શાંતિલાલ પૂજ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે ત્યારે અમદાવાદ ખાતે સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા રાપર તાલુકા ના સહકારી આગેવાન વાડીલાલ રતનશી સાવલા કે જેઓ રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન અને રાપર તાલુકા બજાર સમિતિ ના ડાયરેક્ટર અને સુવઈ ના માજી સરપંચ તરીકે હોદ્દો ધરાવે છે તેઓ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે ત્યારે રાપર શહેરમાં એકતા નગર ખાતે રહેતા આ આગેવાનો ના સંપર્ક મા આવેલ લોકો અને આગેવાનો ને આરોગ્ય તંત્ર ધ્વારા હોમ કવોરન્ટાઇન કરવા માટે કવાયત હાથ ધરી છે આમ વાગડ વિસ્તારમાં કોરોના પોઝિટિવ મા આગેવાનો ને થતાં વાગડ પંથકમાં હડકંપ મચી જવા પામી છે