મેઘપર (બોરીચી) પાસે ક્રેન પર કામ કરતા યુવાનને વીજ શોક લાગતાં મોત


અંજારના રાધાનગરમાં રહેતા 30 વર્ષીય ભરતભાઇ ભગુભાઇ આહિર ગત સવારે મેઘપર બોરીચી સીમમાં હોલી ડે રિસોર્ટ પાછળ ક્રેન પર કામ કરતા હતા te દરમિયાન ક્રેન વીજ પોલમાંથી વીજશોક લાગતાં ક્રેન ચલાવી રહેલા ભરતભાઇનું મોત નિપજ્યુ઼ થયું હતું. તેમનો મૃતદેહ લઇ આવનાર પ્રદિપભાઇ ગોપાલક્રીષ્નાએ આ ઘટનાની જાણ કરતાં રામબાગના તબીબે આ બાબત અંજાર પોલીસને જાણ કરતાં પીએસઆઇ બી.એસ.ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.