ભરૂચ ખાતે કોરામંડલ દ્વારા ૨૫૦ વિદ્યાર્થિનીઓને સ્કોલરશીપનું વિતરણ કરાયું, વાલીઓને મતદાન કરવાના સંકલ્પ લેવડાવાયા

ભરૂચ ખાતે કોરામંડલ દ્વારા વિદ્યાર્થિનીઓને સ્કોલરશીપ વિતરણ કાર્યકમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. તેમજ મતદાન અંગે જાગૃતિ ફેલાવી હાજર વાલીઓ પાસે મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવાડાવાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી વિદ્યાર્થિનીઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. તેમજ આ તકનો લાભ લઈ આગામી દિવસોમાં આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવી ચૂંટણીમાં દિવસે વધુમાં વધુ મતદાન થાય તેવી તેવી લોકોને અપીલ કરી હતી.