મુંદ્રા ગોયરસમાં રસોઇ બનાવતી વેળાએ દાઝી ગયેલ યુવા પરિણીતાનું સારવાર દરમ્યાન મોત
copy image

મુંદ્રા ખાતે આવેલ ગોયરસમાં રસોઇ બનાવતી વેળાએ દાઝી ગયેલ યુવા પરિણીતાનું સારવાર દરમ્યાન મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 23-2ના ગોયર-સમામાં યુવાન પરિણીતા કાંતાબેન સથવારા પોતાના ઘરે ચુલા ઉપર રસોઇ બનાવી રહ્યા હતા તે સમયે કોઈ કારણોસર તેઓ દાઝી ગયા હતા. બનાવની જાણ થતાં આ પરીણીતાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન મોત થયું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.