માંડવી તાલુકાનાં  મોટા સલાયામાં ધોળા દિવસે બંધ ઘરમાંથી 3.65 લાખની થઈ ઉઠાંતરી

copy image

copy image

માંડવી તાલુકાનાં  મોટા સલાયામાં ધોળા દિવસે બંધ ઘરમાંથી 3.65 લાખની મત્તાની ઉઠાંતરી થયા મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે. આ ચોરીના બનાવ અંગે મોટા સલાયામાં કાજીવાલી મસ્જિદની બાજુમાં ગવાખાનું ખાતે રહેતા 70 વર્ષીય પ્રૌઢ ઈશાક ઉમરભાઈ ભુસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી તથા તેમના પત્ની તથા દીકરી તેમના દીકરાના ઘરે ગયેલ હતા. જ્યાથી રાત્રીના સમયે પરત આવીને જોતાં દરવાજાનું લોક તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યું હતું. ઉપરાંત ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યું હતું. ફરિયાદીએ ઘરમાં તપાસ કરતાં સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ચોર ઈશમોએ બંધ મકાનના તાળાં તોડી તેમાંથી કુલ રોકડા રૂા. 65000 તથા ત્રણ લાખના દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે. ધોળા દિવસે થયેલ ચોરીથી આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.