ગાંધીધામ મધ્યે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી

ગાંધીધામ : તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગુજરાતના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલીયાએ ભવ્ય જીત મેળવેલ છે. ગુજરાત અને ખાસ કરીને વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. આ જીતની ઉજવણી પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામ મધ્યે કરવામાં આવી હતી.

પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા તા. 23-06-2025ના રોજ સાંજે ગાંધીધામના ગાંધી માર્કેટ ખાતે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ગોપાલ ઈટાલીયાને મળેલ ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એક બીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડીને ખુશી મનાવી હતી. પુર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતની જનતાએ વિસાવદરમાં અમારા પર વિશ્વાસ મુક્યો છે તેવી જ રીતે આગામી સમયમાં સમગ્ર ગુજરાતની જનતા પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુકી, આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતમાં જીત અપાવશે.

આ ઉજવણીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા, સેક્રેટરી નીલેશ મહેતા, રાજુ લાખાણી, રાજુ સોલંકી, રાજુ શ્રીમાળી, રાયશી દેવરીયા, સુરેશ બારુપાલ, પી.ડી.દેવરીયા, અમૃત રાઠોડ, લીલાબેન પરમાર, મન્સુરઅલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.