સાંતલપુરના ટ્રેઇલરની ટક્કરથી 100 જેટલાં ઘેટાં કાળનો કોળિયો બન્યા
પાટણના સાંતલપુરમાં આવેલ વારાહી હાઇવે પર ટ્રેઇલરની ટક્કરથી 100 જેટલાં ઘેટાં કાળનો કોળિયો બની ગયા. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના ચોબારી ગામનો રબારી પરિવાર પોતાનાં ઘેટા લઈને જઈ રહ્યો હતો તે દરમ્યાન પુલ ઉપરથી પૂરઝડપે આવી રહેલા ટ્રેઇલર ચાલકે ઘેટા ઉપર ટ્રેઇલર ચડાવી દેતાં 100 જેટલાં ઘેટાંનાં મોત થયાં હતાં. બનાવને પાગલ લોકની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકે ટ્રેઇલરચાલકને ઝડપી લીધો હતો. બનાવને પગલે આ રબારી પરીવાર પર આભ ફાટી નિકળ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.