ભુજ ખાતે મધુમેહ (ડાયાબિટીસ) હરસ-મસા-ભગંદરના આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ તથા સિટીઝન કેર નિ:શુલ્ક કેમ્પ યોજાશે
ભુજ ખાતે આયુષની કચેરી, ગાંધીનગર તથા વૈદ્ય પંચકર્મ શ્રી વર્ગ-૧ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળના આર.સી.સી. હાટકેશ અને રોટરી કલબ ઓફ ભુજ ફ્લેમીંગોના સંયુક્ત ઉપક્ર્મે નિ:શુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) હરસ-મસા-ભગંદરના નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સીનિયર સિટીઝન કેર કેમ્પનું ૧૬ જુલાઈને બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ કેમ્પ સમય સવારે ૯:૦૦ થી બપોરના ૧:૦૦ કલાકે શ્રી હાટકેશ્વર કોમ્પ્લેક્ષ, છઠ્ઠીબારી ભુજ ખાતે યોજાશે.
આ કેમ્પમાં નિ: શુલ્ક બ્લડ સુગર, હિમોગ્લોબીન અને ડાયાબિટીસ ટેસ્ટ, હરસ, મસા, ભગંદર તથા મેદસ્વિતાના દર્દીઓ માટે બ્લ્ડ પ્રેશર, કોલેસ્ટ્રોન માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર બાબતનું માર્ગદર્શન સારવાર અને સલાહ આપવામાં આવશે. સીનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારનું સ્વાસ્થ્યવર્ધક ઔષધ આપવામાં આવશે, દરેક પ્રકારના તાવ, શરદી, ખાંસી, કળતર, વા, સાંધાના દુ:ખાવા માટે શ્રેષ્ઠ રોગ પ્રતિકારકવર્ધક અમૃતપેય ઉકાળાનું વિતરણ કરાશે તેમ વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.