22 એપ્રિલ, 2026 થી કંડલા-મુંબઈ વિમાની સેવા બંધ કરવાનો નિર્ણય

copy image

copy image

કંડલા અને ગાંધીધામ સંકુલ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સ્પાઈસ જેટ દ્વારા 22 એપ્રિલ, 2026 થી કંડલા-મુંબઈ વિમાની સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગજગતમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.: કંડલા વિમાની સેવાથી વિખૂટું પડયું તો ઔદ્યોગિક વિકાસ રૂંધાઈ જશે તેવી દહેશત ઉદ્યોગકારો વ્યકત કરી રહ્યા છે. 

સેવા બંધ થવાનું કારણ

આર્થિક સંકટ: સ્પાઈસ જેટ દ્વારા આર્થિક સંકટનું બહાનું ધરીને આ ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, સ્થાનિકોના મતે કંડલા-મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ્સમાં હંમેશા સારો પ્રતિસાદ (ઓક્યુપન્સી) રહેતો હોવા છતાં આ નિર્ણય લેવાયો છે.

ઔદ્યોગિક ક્ષેત્ર પર અસર વિકાસમાં અવરોધ: કંડલા મહાબંદર (DPA) અને સેઝ (SEZ) ને કારણે અહીં પોર્ટ આધારિત સેંકડો ઉદ્યોગો આવેલા છે. મુંબઈ સાથેની કનેક્ટિવિટી તૂટતા ઉદ્યોગપતિઓની અવરજવર મુશ્કેલ બનશે.વૈકલ્પિક માર્ગની અગવડ: ટિમ્બર એસોસિએશનના જણાવ્યા મુજબ, કોઈ પણ ઉદ્યોગકાર વાયા અમદાવાદ થઈને 6 કલાક બગાડીને ગાંધીધામ આવવા તૈયાર નથી.ભવિષ્યના પ્રોજેક્ટ્સ: કંડલા પોર્ટના આગામી મહત્વના પ્રોજેક્ટ્સ પર આની નકારાત્મક અસર પડવાની ભીતિ છે.સ્થાનિક અગ્રણીઓની માંગગ્રીનફિલ્ડ એરપોર્ટ: ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ફોકિયા (FOKIA) ના મતે, કંડલામાં વિમાની સેવાને સક્ષમ બનાવવા માટે ‘ગ્રીનફિલ્ડ એરપોર્ટ’ એ જ એકમાત્ર કાયમી ઉકેલ છે.અન્ય કંપનીઓને સ્લોટ: માત્ર એક કંપની પર નિર્ભર રહેવાને બદલે ઇન્ડિગો જેવી અન્ય કંપનીઓને પણ સ્લોટ ફાળવવા માટે રજૂઆતો કરવામાં આવી છે. . ડીપીએના ભાવિ પ્રોજેક્ટોને અસર પડશે : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગકાર મહેશ પુજે ચિંતા  સાથે જણાવ્યું હતું કે, મુંબઈની વિમાની સેવા બંધ થવાથી કંડલા પોર્ટના ભાવિ પ્રકલ્પોને નકારાત્મક અસર પડશે. પોર્ટને આગળ વધારવામાં   તૈયાર કરેલી યાદીમાં વિમાની સેવાને શરૂ  કરાવવા માટે  પ્રશાસને અગ્રતા  આપવી પડશે.  શિપિંગ મંત્રાલય મારફત  એવીએશન મંત્રાલયમાં રજૂઆત કરાવાય તે જરૂરી છે, નહીં તો કંડલાના ભાવિ પ્રકલ્પોને અસર પડશે તેવી ભીતિ વ્યકત  કરી હતી રન-વે વિસ્તરણ: મોટા વિમાનો ઉતરી શકે તે માટે રન-વેના વિસ્તરણની તાતી જરૂરિયાત હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.વધુમાં એરપોર્ટ પ્રશાસન હાલ અન્ય વિમાની કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે, પરંતુ જો 22 એપ્રિલ પહેલા કોઈ ઉકેલ નહીં આવે તો ગાંધીધામ-કંડલા સંકુલના ઔદ્યોગિક વિકાસને મોટી બ્રેક લાગી શકે છે