40 વર્ષમાં કોઈ ભારતીય PMની ન્યૂઝીલેન્ડની પ્રથમ સત્તાવાર મુલાકાત
copy image

પોતાનો ત્રણ દિવસનો સેશેલ્સ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાના બરાબર દસ દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. છેલ્લા 40 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. જેને કારણે આ પ્રવાસને અત્યંત ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને શુક્રવારે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે પીએમ મોદી 10 જુલાઈએ ઓકલેન્ડ પહોંચશે અને 11 જુલાઈએ પરત ફરશે. આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા છે. સૂત્રો માંથી મળતી મુજબ આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડથી આવતી 95 ટકા વસ્તુઓ પરની ડ્યુટી નાબૂદ કરવામાં આવશે. જ્યારે ભારતમાંથી ન્યૂઝીલેન્ડ જતા 100 ટકા સામાનને ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. પીએમ લક્સને કહ્યું કે, “ભારત વિશ્વની સૌથી મોટી અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ વ્યાપાર કરારથી ન્યૂઝીલેન્ડના 140 કરોડ લોકોનું મોટું બજાર મળશે, જેનાથી રોજગારી વધશે અને આર્થિક વૃદ્ધિ મજબૂત થશે.” બંને દેશો વચ્ચેનો વેપાર અને વ્યૂહાત્મક મહત્વ વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 1.3 અબજ ડોલર રહ્યો હતો, જ્યારે વસ્તુઓ અને સેવાઓનો કુલ વેપાર આશરે 2.4 અબજ ડોલરે પહોંચ્યો છે. આ કરાર ભારતની ઈન્ડો-પેસિફિક આર્થિક વ્યૂહાત્મક નીતિને વધુ મજબૂત બનાવશે. વૈશ્વિક વેપારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે ન્યૂઝીલેન્ડ માટે ભારત સાથેના સંબંધો આર્થિક સમૃદ્ધિની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.