શિણાય અંજાર રોડ ઉપર પાણીના ખાડામાં ધક્કો મારીને મહિલાની હત્યાની આશંકા

ગાંધીધામના  શિણાય થી અંજાર જતા રોડ ઉપર આવેલા પાણીના ખાડામાં પગ ધોવા માટે ગયેલા મહિલાને ધક્કો મારીને પાડી દેતા મહિલા નું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવમાં હત્યાની આશંકા સાથે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઇ છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ મુજબ બનાવ સાંજે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. શકમંદ આરોપી સાથે ગયા હતા. દરમિયાન શિણાય અંજાર રોડ ઉપર આવેલા પાણીના ખાડામાં દેવીબેન પગ ધોવા જતા આરોપીએ મારી નાખવાના ઇરાદે પાણીના ખાડામાં ધક્કો મારતા તેઓ ડૂબી ગયા હતા. આરોપી એ ભોગ બનનાર ના પુત્રને બનાવ અંગે જાણ કરતાં પુત્ર તુરંત ત્યાં પહોંચ્યો હતો.ત્યારબાદ તેમનો બીજા પુત્રએ પણ ત્યાં પહોંચીને તેની માતાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ન મળતા ફાયર વિભાગને જાણ કરી હતી અને ખાડામાંથી મૃતદેહને શોધીને રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ભોગ બનનાર ના પતિએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે અગાઉ પણ આરોપી ભોગ બનનારને હેરાન પરેશાન કરતો હતો તેનાથી કંટાળીને ત્રણથી ચાર મહિના પહેલા મૃતકે દવા પીધી હતી અને આરોપી પરેશાન કરતો હોવાની તમામને જાણ કરી હતી.ત્યાર પછી પરિવારજનોએ આરોપીને સમજાવ્યો હતો પરંતુ કોઈ કારણોસર ભોગ બનનાર આરોપી સાથે જતા આ બનાવ બન્યો છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.