દરસડીમાં ૪ કેસ કોરોનાગ્રસ્ત મહિલાનું મોત ગાયનેક પ્રોબ્લેમ માટે દાખલ થનાર રાપરના મહિલા દર્દીનું આજે મોત થયા બાદ તેના મોતનું કારણ જાણવા ડેથ ઓડિટ કરાશે. આજે કુલ ૭ નવા દર્દીઓ, ચાર દરસડીના, એક ભદ્રેશ્વર (મુન્દ્રા) અને બે રાપરના કેસ છે પૈકી રાપરના એક ૩૦ વર્ષીય મહિલા દર્દીને ગર્ભાશયમાં ગર્ભનું મૃત્યુ થતાં ગાયનેક વિભાગમાં સારવાર માટે ગઈકાલે ૨૭/૫ ના દાખલ કરેલ, તેમને કોરોના પોઝિટિવ હતો, આજે આ મહિલાનું ગાયનેક પ્રોબ્લેમના કારણે મોત નિપજ્યાનું પ્રાથમિક તારણ, જોકે, તેમના મોતનું કારણ નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા તપાસાઈ રહ્યું છે, સરકારની ગાઈડલાઈન અનુસાર ડેથ ઓડિટ બાદ જ ખ્યાલ આવશે કે મોતનું કારણ કોરોના છે કે ગાયનેક પ્રોબ્લેમ? ડેથ ઓડિટ પછી સતાવાર જાહેર થશે એ મહિલાના મોતનું કારણ શું છે? એક મોત અને હવે ચાર પોઝિટિવ દર્દીઓના વિસ્ફોટને પગલે દરસડી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે