રેલવેનો તઘલખી નિર્ણય, કચ્છમાંથી મુંબઈની પાર્સલ સેવા અચાનક બંધ

રેલવે વિભાગ દ્વારા ગત તા.ર૭ મેાથી કચ્છમાંથી મુંબઈ સુાધીની પાર્સલ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ અંગે રજૂઆત કરતા જૈન સમાજના અગ્રણી ભરત સંઘવીએ જણાવ્યું છે કે, કોરોનાના સમયમાં પાર્સલ સેવા ચાલું હતી. પરંતુ હવે બધુ ખૂલી ગયું છે તેવા સમયે જ વિચિત્ર નિર્ણય લઈને અિધકારીઓએ પાર્સલ સેવા બંધ કરી દેવાનો પ્રજા વિરોધી નિર્ણય કર્યો છે. કચ્છમાંથી અત્યારે લોકો મોટા પ્રમાણમાં કેરી, ઘઉં, દેશી ઘી, મસાલા, મીઠાઈઓ, દુાધની બનાવટો વગેરે વસ્તુઓ મુંબઈ મોકલવામાં આવતી હોય છે. આ બાધા લોકોને હાલ મોંઘા ભાડા ચૂકવીને ખાનગી ટ્રાન્સપોર્ટમાં વસ્તુઓ મોકલવી પડે છે. રેલવે દ્વારા અગાઉ ૬ રૃપિયા પ્રતિ કિલો ચાર્જ વસૂલ કરાતો હતો, જે ચાર્જ કોરોનાના સમયમાં ઘટાડીને રૃ.૩ કરી નાંખવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે પાર્સલ સેવા બંધ કરી દેવાતા ખાનગી ટ્રાન્સપોર્ટરોને બખ્ખા થઈ ગયા છે. ખાનગી ટ્રાન્સપોર્ટરો લોકો પાસેાથી કિલોએ રૃ.૧પાથી ર૦ સુાધીના ભાવ પડાવી રહ્યા છે. આ અંગે સાંસદ, રાજ્ય સરકારના મંત્રી અને કિસાન સંઘ સહિતની સંસૃથાઓ તાથા આગેવાનોને રજૂઆત કરવામાં આવી છે. તાથા રેલવે તંત્ર દ્વારા કચ્છાથી મુંબઈની પાર્સલ સેવા શરૃ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બિનરાજકીય આંદોલન છેડવાની તૈયારી શરૃ કરવામાં આવી છે.ગાંધીધામ સિૃથત રેલવેના અિધકારી પઠાણે આ અંગે જણાવ્યું હતું કે પાર્સલ સેવા સંપૂર્ણ બંધ કરવામાં આવી નાથી. હાલ દિવસમાં માત્ર ત્રણેક ટન જેટલા પાર્સલ આવે છે. જેને મોકલવાનો ખર્ચ પાંચ લાખ રૃપિયા જેવો થવા જાય છે. માટે રેલવેને આ ખર્ચ પોષાય તેમ નાથી. રર ટન જેટલા પાર્સલ એક દિવસમાં એકત્ર થતા હોય તો જ પાર્સલ સેવા શરૃ કરવી શક્ય છે.