માધાપર જુનાવાસ મા આવેલ છતેળી વાળા તળાવ માથી અજાણી તાજી જન્મેલી બાળકી મળી આવતા ચકચાર

ગુજરાત સહીત દેશમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે માધાપર જુનાવાસ મા આવેલ છતેળી વાળા તળાવ માથી તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવતા હાહાકર મચી ગયો છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે એક નિષ્ઠુર માતા તેની નવજાતને મરવા માટે છોડી ગઈ હતી. આ અંગે મળતી વિગત મુજબ બાળકી ને ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં લઈ જવાતા ડોકટરે વિગતો આપતા જણાવ્યુ કે બાળકી મૂર્ત હાલતમાં છે. ત્યારે આ દિશામાં હવે પોલીસ પણ તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરશે. આ પ્રકારની ઘટનાઓના કારણે જ સરકારે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના અભિયાન ચલાવવા પડે છે ત્યારે સમાજના કેટલાક લોકોની વરવી માનસિકતા આવી ઘટનાઓથી છતી થાય છે.