ઘોઘાના હઝરત શેરઅલી સરકારનો ઉર્ષ શરીફ સોશ્યલ ડિસટન્સ સાથે સાદગી પૂર્ણ ઉજવાયો

ભાવનગર ઘોઘા ના સોનરીયા તળાવ વિસ્તારમાં આવેલ હઝરત રોશન ઝમીર શેરઅલી સરકાર પીરદાદાનો ઉર્ષ શરીફ સાદગી પુર્ણ રીતે ઉજવાયો હતો . દરગાહ શરીફમાં સંદલ શરીફ , ચાદર શરીફ , સલાતો – સલામ , અને દુવાઓના કાર્યક્રમ યોજયા હતા . અલ્લાહ આલાના દરબારમાં તમામને કોરોનાની મહામારીથી સુરક્ષીત રાખે , દેશમાં કોમી એકતા , અને ભાઈચારો કાયમ રહે તેવી દુવાઓ કરવામાં આવી હતી . દર વર્ષે હઝરત શેરઅલી સરકારનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાય છે . પરંતુ હાલની કોરોના મહામારીને ધ્યાને રાખી , જાહેર હિતાર્થે સરકારની ગાઇડ લાઇન મુજબ સેનેટાઈઝ કરી , મોઢા ઉપર માસ્ક બાંધી , સોશ્યલ ડીસ્ટન્સ સાથે દરગાહ શરીફમાં સાદગી પૂર્ણ રીતે ઉર્ષ શરીફ ઉજવાયો હતો . આ કાર્યક્રમમાં ધોધાના સૈયદ મુનીરબાપુએ ખાસ દુવા કરી હતી , જયારે અજીજભાઈ કાલાવાડીયા , ગફારભાઈ બાવનકા , કાળુભાઈ બેલીમ , રફીકભાઈ કુરેશી ( એડવોકેટ ) , રાજુ ભાઈ મેમણ , જુબેરભાઈ હબીબાણી , જાબીરભાઈ , હાજીરજાકભાઇ ( સોના હોટલ )  રફીકભાઈ મોદન સહિતના ખાસ ઉપસ્થિત રહયો હતો

(એજાજ શેખ રીપોર્ટર )