અમરેલી જીલ્લાના પીપાવાવ પો.સ્ટે.ના સગીરાના અપહરણના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ-ભુજ


બોર્ડર રેન્જ આ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ ધ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની સુચના આપેલ હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના માણસો જખૌ મરીન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ.શ્રી જે.પી.સોઢા તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર મુળશંકર રાવલ તથા વિરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે, અમરેલી જીલ્લાના પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુના નં.૧૫/૨૦૧૭ ઇપીકો કલમ- ૩૬૩,૩૬૬,૧૧૪ તથા પોકસો એકટ’ કલમ-૪,૬,૧૮ વિ. મુજબના ગુના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી વનરાજ વિશ્રામભાઇ જોળીયા (કોળી) ઉ.વ.૩૮ રહે.મુળ ભોરાવડ ચાંચબંદર, તા.રાજુલા જી.અમરેલી હાલ રહે.જખૌ બંદર તા.અબડાસા વાળા નાસતા ફરતા આરોપીને જખૌ બંદર ઉપરથી હાજર મળી આવતા જે આરોપીને સી.આર.પી.સી કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે જખૌ મરીન પો.સ્ટે.મા સોંપવામાં આવેલં છે. ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ.શ્રીજે.પી.સોઢા તથા એ.એસ.આઇ હરીલાલ બારોટ, પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ, દિનેશભાઇ ગઢવી, રઘુવિરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.પો.કો. સુરેશભાઇ ચૌધરીનાઓ જોડાયેલ હતા.