પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ બોટાદના બરવાળા ખાતે આગામી તા.૨૬ જુન ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.


પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, બરવાળા ખાતે પક્ષકારો વચ્ચે સંમતિ થી સમાધાન કરી અને વિવાદનો સુખદ નિકાલ લાવવા માટે રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન
તારીખ:૨૬/૦૬/૨૦૨ર ના રોજ કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં સમાધાનપાત્ર ઈલેકટ્રીસીટી, લેણી રકમની તકરાર, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ-૧૩૮, ઘરેલું હિંસા અધિનીયમ, ભરણ પોષણ, દિવાની દાવા તથા સમાધાનપાત્ર ફોજદારી કેસો વગેરે તમામ પ્રકારના સમાધાન લાયક કેસોનો સમાધાનથી નિકાલ કરવાના પ્રયાસો કરવામા આવશે. જેથી લાગતા વળગતા પક્ષકારોએ સમાધાન માટે પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, બરવાળા ખાતે તા.૨૬/૦૬/૨૦૨૨ ના રોજ યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતમાં ભાગ લેવો તથા વધુમા વધુ કેસો લોક અદાલતમાં મુકી શકાય અને પક્ષકારો નેશનલ લોક અદાલત દ્વારા વિવાદોનુ ઝડપી અને સંતોષકારક સમાધાન કરી શકાય તે માટે આ અંગેની વધુ જાણકરી મેળવવા માટે જીલ્લા સ્તરે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય બોટાદનો તથા તાલુકા સ્તરે તાલુકા કાનુની સેવા સમિતી બરવાળા, પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, બરવાળાનો સંપર્ક કરવાનો રહેશે
બ્યુરો રીપોર્ટ. ઉમેશ ગોરાહવા, બોટાદ