ચાલુ ટ્રેને પગથિયા પર બેસેલા યુવકનું નીચે પડી જતાં મોત


ઓલપાડ તાલુકાના કીમ-કુડસદ રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી જવાના કારણે યુવકનું મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર 24 વર્ષીય મનોહરસિંગ લાલસિંગ રાજપૂત (રહે, ભિવંડી, મુંબઈ મૂળ રહે,કોસેલાવ,તા સુમેરપુર, પાલી) જેઓ ભિવંડી મધ્યે મેડિકલ સ્ટોર પર નોકરી કરતો હોવાથી જે પોતાના વતન ભાઈ સાથે જતો હતો.
ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર રાણકપુર ટ્રેનના સી -3 ડબ્બામાં મુસાફરી કરતા આ સમયે ચાલુ ટ્રેનમાં દરવાજાના પગથિયાં પર બેઠેલ મનોહરસિંગ કીમ-કુડસદ વચ્ચે રેલવે ગરનાળા નજીક ટ્રેનમાંથી પડી જતા મૃત્યુ નીપજયું હતું. કોસંબા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જેસિંગભાઈને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વાલી વરસોને શોધી મૃતદહનું પીએમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.