ગોડપરના યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપી 1.5 લાખની છેતરપિંડી કરાઇ


તાન્ઝાનિયામાં કામ કરતા અને મૂળ ભુજ તાલુકાના ગોડપર ગામના દેવરાજ ખીમજી કેરાઈએ પશ્ચિમ કચ્છ પોલીસવડા, કલેક્ટરથી કરીને CM સુધી મેઇલ દ્વારા કરેલી ફરિયાદ મુજબ તેમની વૃદ્ધ માતા સાથે પૌત્રના લગ્ન સંદર્ભે થયેલી 1.5 લાખની ઠગાઈ બાબતે ન્યાય મળે તેવી અરજ કરી છે. લગ્નના નામે 2 વ્યક્તિઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની તથા તેમની સાથે થયું એમ અન્ય સાથે ન બને તે માટે જાગૃત રહેવા અપીલ કરી હતી.
તેમણે કરેલી રજુઆત મુજબ તેમને 2 પુત્રો અને 1 પુત્રી છે. મોટો પુત્ર અને પુત્રી 74 વર્ષની તેમની માતા સાથે રહે છે. લગ્નના નામે ગત જુન મહિનામાં 2 વ્યક્તિઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ વિભાગ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો નથી, તેથી અમે તમને લખી રહ્યા છીએ. તેમના આક્ષેપ મુજબ રાજેશ ગોસ્વામી નામના વ્યક્તિએ મારા મોટા પુત્રનો સંપર્ક કર્યો અને તેને કહ્યું કે તેની પાસે એક એવા વ્યક્તિનો સંપર્ક છે જેને માતા-પિતા વગરની છોકરી છે, જેની સાથે મારો મોટો પુત્ર લગ્ન કરી શકે છે.
બીજી વ્યક્તિ તેનો કોન્ટેક્ટ નંબર બદલી રહી છે જેથી તે પકડાઈ ન જાય, તે છોકરીની કાળજી લઈ રહ્યો છે. આ વ્યક્તિ એક વચેટિયા છે જેની સાથે તે તે વ્યક્તિના સીધા સંપર્કમાં છે. એક દિવસ, આ 2 લોકોએ મારી માતા અને મારા મોટા પુત્રને રૂ.1,50,000 ભુજ લાવવા માટે ફોન કર્યો. તેઓએ રોકડ લઈ લીધી અને મારી માતા અને મારા મોટા પુત્રને છોકરીને અમારા ઘરે લઈ જવા કહ્યું. તેઓએ રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર એક કરાર લખ્યો હતો. તેઓ તેને સાંજે લાવ્યા.
લગ્નના સંયુક્ત સોગંદનામા મુજબ 27 જૂન, 2022 ના ચંગ્લેશ્વર મહાદેવના મંદિરે વડીલોની હાજરીમાં હિન્દુ લગ્ન વિધી અનુસાર સાદાઈથી વિવાહ કરાયા હતા. 4 દિવસ ત્યાં રહી અને પછીથી તેમને કહ્યું કે તે તેના માતાપિતાના ઘરે જવા માંગે છે કારણ કે તે હવે ત્યાં રહેવા માંગતી નથી. મારી માતા અને મારા પુત્રએ તેઓને ફોન કરીને સમજાવવાની કોશિશ કરી, પરંતુ આખરે તેઓ ભુજ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે થોડી પૂછપરછ કરી અને હવે તેઓ જવાબ આપી રહ્યા નથી. વૃધ્ધ માતા અને પુત્ર અવારનવાર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ચૂક્યા છે પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.
મારી માતા 74 વર્ષની ખૂબ જ વૃદ્ધ છે. તે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાનું ચાલુ રાખી શકતી નથી. આ અગાઉ પણ સુખપર અને બળદિયા ગામે આવી રીતે આ વ્યક્તિઓ દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે એ ડિવિઝનના PI આર.આઇ.ઝાલાને પૂછતા જણાવ્યું કે, ત્રણ દિવસથી જ ચાર્જ સંભાળ્યો છે. હાલ સોંપાયેલા 28 કેસમાં આ ફરિયાદ નથી. PSI સાથે વાત કરી તપાસ કરાવીશ.