આદિપુર અને વરસામેડીમાં 2 યુવાનોએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામના આદિપુરમાં 39 વર્ષિય યુવાને તો અંજાર તાલુકાના વરસામેડીની સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાને ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. બંને અલગ અલગ ઘટનામાં અંતિમ પગલું ભરવા પાછળનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું ન હતું. આદિપુર પોલીસ મથકમાં થયેલી નોંધ મુજબ આદિપુરના મનોરમા મલયામનગરમાં રહેતા 39 વર્ષિય એલેક્સ સ્કરીયા એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેને રામબાગ હોસ્પિટલ લઈ અવવામાં આવતા ઉપસ્થિત ડોક્ટરે મૃત જાહેર કરતા પીએસઆઈ અને એ. મેજી. ને ઈન્કવેસ્ટ ભરવા યાદી મોકલાઈ હતી.

તો બીજી ઘટના અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલી કેશવનગર સોસાયટીમાં રહેતો 22 વર્ષીય રોશન ફૂલજર રામ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટના અંગે અંજાર પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બંને ઘટનાઓમાં યુવાનોએ અંતિમ પગલું ભરી લેતા પરિવારજમાં શોક છવાઈ ગયો હતો.