રામવાવમાં આધેડ પર હુમલો કરવાના પ્રકરણમાં આરોપી શખ્સોના જામીન કોર્ટે નકાર્યા
રાપર ખાતે આવેલ રામવાવમાં આધેડ પર હુમલો કરવાના પ્રકરણમાં આરોપી શખ્સોના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસો અગાઉ રાપર તાલુકાના રામવાવ ગામમાં આધેડ પર ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ-ધોકાથી હુમલો કરી દેવામાં આવેલ હતો જેથી આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે આરોપી શખ્સોને જામીન અરજી સાથે રાપરની અદાલતમાં રજૂ કરવામાં આવતા તેમના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા.