ગાંધીધામમાં વીજપોલનો તાર અડી જતા વૃદ્ધનું મોત નિપજ્યું

copy image

copy image

ગાંધીધામના ખોડીયારનગરમાં વૃદ્ધનો   હાથ થાંભલાના તાર સાથે ચોટી જતા શોક લાગતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે દાખલ થયેલી અકસ્માત મોતની નોંધ મુજબ  ખોડીયારનગરમાં રમણ ચોરાયા પાસે રહેતા 46 વર્ષીય અરવિંદ શંકર શર્માને 30/6ના સવારના અરસામાં ઘરેથી બહાર નિકળીને બહાર જતા હતા ત્યારે ખોડીયારનગરમાંજ ઈલેક્ટ્રીક થાંભલાના તારને હાથ લાગતા ચોટી ગયા હતા, શોક લાગતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. પોલીસે ઈન્કવેસ્ટ ભરવા યાદી મોકલાવી હતી, ત્યારે વરસાદના સમયે વીજશોકથી મોતની ઘટનાથી સ્થાનિકોમાં આઘાત અને ભયનો માહોલ છવાયો હતો.