સિયોત સીમની પવનચક્કીમાંથી 87 હજારના મુદ્દામાલની ચોરી
copy image

લખપત તાલુકાના સિયોતની સીમમાં પવનચક્કીના દરવાજાનાં તાળાં તોડી તેમાંથી વાયર અને બે બેટરી એમ કુલે રૂા. 87 હજારના મુદ્દામાલની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઇ હતી . આ અંગે દયાપર પોલીસ મથકે, સિક્યુરિટી સુપરવાઇઝર નારુભા જાડેજાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 13/7 થી 15/7 દરમ્યાન સિયોત ગામની સીમમાં પવનચક્કીના દરવાજાનાં તાળાં તોડી તેમાંથી અલગ-અલગ પ્રકારના વાયર અને બે બેટરી એમ કુલે રૂા. 87 હજારનો મુદ્દામાલ અજાણ્યા ચોર ચોરી કરી લઇ ગયા હતા. દયાપર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.