આગામી તા. ૧૧ ને શુક્રવારના રોજ ભરૂચમાં આવેલા શ્રી મોઢેશ્વરી માતાના મંદિર ખાતે માતાજીની આઠમ નિમિત્તે હવનનો કાર્યક્રમ યોજાશે


આગામી તા.૧૧/૦૯/૨૪ ના શુક્રવારના રોજ આસો સુદ આઠમના શુભ દિવસે ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી મોઢેશ્વરી માતાના મંદિર ખાતે માતાજીની આઠમ નિમિત્તે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં માતાજીની આરતી સવારના ૭:૩૦ કલાકે, હવન સાંજના ૪ કલાકે, હવનમાં શ્રીફળ હોમવાનો સમય સાંજના ૬ કલાકે અને માતાજીની મહાઆરતી સાંજના ૭ કલાકે રાખવામાં આવેલ છે અને સાંજના ૭ કલાકની મહાઆરતી બાદ તરત જ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.તો આ રૂડા અવસરનો લાભ લેવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.