મીઠીરોહરમાં બે શખ્સોએ આધેડને ધોકા વડે માર માર્યો

copy image

copy image

 ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીક સામાન્ય બાબતે આધેડ પર બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ મામલે સત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આધેડ ફરિયાદી મીઠીરોહર નજીક સીમમાં રાજક્રિપાલ ટિમ્બર નામનો બેન્સો ચલાવે છે. ગત દિવસે તે બેન્સાએ હાજર હતા તે દરમ્યાન આરોપી શખ્સો ત્યાં લોખંડની પ્લેટો ઉપાડતા હતા તે સમયે આ પ્લેટો અમારી છે, તમે કેમ ઉપાડો છો ? તમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે છતાં અહીં કેમ આવ્યા છો ? તેવું આધેડે કહ્યું હતું જેથી આરોપી શખ્સોએ ઉશકેરાઈ જઈ ફરિયાદીને ધોકા વડે માર માર્યો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.