નલીયા તથા ભુજ શહેર વિસ્તારમાં મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં નહીં કરાવી જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસ ઓ.જી પશ્ચિમ કચ્છ- સજ

પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓના આદેશથી પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં ભાડુઆત નોંધણી ચેકીંગની ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી,સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મકાન માલીકો દ્વારા મકાન ભાડે આપી અને મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહીં કરાવનાર મકાન માલીકો વિરૂધ્ધ જાહેરનામાં ભંગ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય.

તેમજ ગુજરાત રાજયમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગીક એકમો શરૂ થયેલ છે અને અત્રેનો જીલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડરનો જીલ્લો હોઇ અને બહારનાં રાજયોમાંથી લોકો ધંધા-રોજગાર અર્થે આવતા હોય છે જે પરપ્રાંતિયો પૈકી અમુક અસામાજીક ઇસમો/તત્વો પણ આવતા હોય છે અને જેઓ પણ શહેર/ગામડામાં કોઇ મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને સ્થાનિક પરિસ્થિતીથી માહિતગાર થઇ પોતાના આર્થીક લાભ સારૂ લોકોનાં જાનમાલને નુકશાન પહોંચાડી ગંભીર ગુનાઓને અંજામ આપતા હોય છે અને કચ્છ જિલ્લા બહારના કે ગુજરાત રાજય બહારના પરપ્રાંતિય લોકો જયારે મકાનમાં ભાડેથી રહેવા માટે આવે ત્યારે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકે તેઓનો ઓળખપત્ર તથા તેઓના ફોટોગ્રાફ સહિતની વિગતો મેળવી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. જે અત્રે વખતો વખત માનનીય કલેકટર સાહેબ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છ (ભુજ)નાઓ દ્વારા જાહેરનામાં બહાર પાડવામાં આવે છે. તેમ છતાં મકાન માલીકો દ્વારા મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવતી નથી.

જે અનુંસધાને એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેકટર પી.પી.ગોહીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ,

(૧) એસ.ઓ.જી. સ્ટાફનાં એ.એસ.આઇ જોરાવરસિંહ જાડેજા તથા માણેકભાઇ ગઢવીનાઓ અબડાસા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન આરોપી જુસબ અબ્દુલ ઓઢીયાર રહે.છાડુરા તા.અબડાસા વાળાએ છાડુરા તા.અબડાસા ખાતે આવેલ પોતાની માલિકીની ઓરડી (મકાન) પરપ્રાતીય ઇસમોને ભાડેથી આપી ભાડુઆતનાં આધાર પૂરાવા ન મેળવી નલીયા પોલીસ સ્ટેશનમાં ભાડુઆતનાં ડોકયુમેન્ટસ અંગેની જાણ કરાવેલ ન હોય,

(૨) એસ.ઓ.જી.ના એ.એસ.આઇ દિનેશભાઇ ગઢવી તથા પો.હેડ.કોન્સ રઘુવીરસિંહ જાડેજા નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન આરોપી દયાશંકર સુર્યપ્રતાપ યાદવ રહે. ગણેશનગર, શંકરમંદીરની બાજુમાં ભુજ વાળાએ ગણેશનગર ,શંકરમંદીરની બાજુમાં, ભુજ ખાતે આવેલ પોતાની માલિકીની ઓરડી (મકાન) પરપ્રાતીય ઇસમને ભાડેથી આપી ભાડુઆતનાં આધાર પૂરાવા ન મેળવી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની જાણ કરાવેલ ન હોય અને માનનીય જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ ભુજનાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોય, જેથી ઉપરોક્ત બંને ઈસમો વિરુદ્ધ અનુક્રમે નલીયા તથા ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.