મુંદ્રા સોપારી તોડકાંડમાં ફરજમોકુફ કરવામાં આવેલ પોલીસ કર્મીઓની આગોતરા મેળવવા કરેલ અરજી નામંજૂર

Court-1495027562_835x547

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે મુંદ્રા સોપારી તોડકાંડમાં હજુ બે ફરજમોકુફ કરવામાં આવેલ પોલીસ કર્મીઓ હાથમાં આવેલ નથી. ત્યારે આ બંનેએ ભુજની કોર્ટમાં આગોતરા માટે અરજી કરેલ હતી જે નામંજૂર કરવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા સોપારી તોડકાંડમાં જે-તે સમયે સરહદી રેન્જના વિભાગમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને ફરજ મોકુફ કરવામાં આવેલ હતા. જેમાથી બેની ધરપકડ કરાઈ હતી જ્યારે વધુ બે પકડમાં આવેલ ન હતા. જેઓ હાલમાં પણ નાસતા ફરે છે.સૂત્રો જણાવી રહ્યા છે કે આ બંનેએ આગોતરા મેળવવા માટે ભુજની સેશન્સ કોર્ટમાં કરેલ અરજી નામંજૂર કરવામાં આવેલ છે.