અંજારના અજાપરની સીમમાં આવેલી પ્લાય કંપનીના કમ્પાઉન્ડમાં 35 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

અંજાર ખાતે આવેલ અજાપરની સીમમાં આવેલી પ્લાય કંપનીના કમ્પાઉન્ડમાં 35 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અજાપરના સીમ  વિસ્તારમાં આવેલ આ કંપનીના કમ્પાઉન્ડમાં જ રહેતા 35 વર્ષીય અનિતાબેનએ ગત તા.31/12 ના બપોરના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં જ સાડી વડે ફાંસો ખાઇ મોતને ભેટો કરી લીધો હતો. આ પરીણીતાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.