નિરોણા ડેમની કેનાલમાં 35 વર્ષીય ખેડુતનું ડૂબી જવાથી મોત

Swimmer floating on his back.

copy image

copy image

  નખત્રાણા ખાતે આવેલ નિરોણા ડેમની કેનાલમાં 35 વર્ષીય ખેડુતનુ ડૂબી જવાથી મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાત્રીના સમય દરમ્યાન 35 વર્ષીય ખેડૂત મહેબૂબશા મામદશા સૈયદનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ યુવાન ગત રાત્રીના સમયે નિરોણા ડેમની કેનાલમાં ખેતી સંબંધિત પાણી વાળવા ગયા હતા જ્યાં અકસ્માતે તે કેનાલના પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.