જવાહરનગર નજીક બાઇકને અજાણ્યા વાહને હડફેટમાં 19 વર્ષીય યુવાનએ જીવ ગુમાવ્યો
copy image

ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગર નજીક બાઇકને અજાણ્યા વાહને હડફેટમાં 19 વર્ષીય યુવાન બાઈક ચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીની કાવ્યા રેસિડેન્સીમાં રહેનાર પ્રવીણ નામનો હતભાગી યુવાન બાઈક લઈને મોગલધામ જઈ રહ્યો હતો તે દરમ્યાન જવાહરનગર નજીક ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર અજાણ્યા વાહને તેની બાઇકને હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં આ યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
