દાહોદની સબ જેલમાં કેદીઓએ પ્રયાગરાજ મહાકુંભના પવિત્ર ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત કર્યું

copy image

copy image

દાહોદ ખાતે આવેલ સબ જેલના કેદીઓને પ્રયાગરાજ મહાકુંભના પવિત્ર ગંગા સ્નાનનું પુણ્ય મળી શકે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો ઊંજબ  સબ જેલના 200 ઉપરાંત બંદીવાનોએ પવિત્ર ગંગાજળ ભરેલા કળશ સાથે સ્નાન કર્યું હતું. ત્યારે જાણવા મળી રહ્યું છે કે સબ જેલમાં કુંડ બનાવી મહાકુંભનુ જળ, તુલસી, ગુલાબ સહિતના સામગ્રી નાખી સ્નાન કરવામાં આવેલ હતું.