અંતરજાળમાં 25 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ  અંતરજાળમાં 25 વર્ષીય પરીણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંતરજાળના બવા ફળિયામાં પોતાના માવિત્રે આવેલા 25 વર્ષીય ક્રિષ્નાબેન નામના પરીણીતાએ ગત તા. 25/2ના જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી મહિલાએ પિયરમાં આવીને ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.