ગાંધીધામમાં આવેલ કાર્ગો વિસ્તારમાં 38 વર્ષીય શખ્સનું ભેદી સંજોગોમાં મોત
copy image

ગાંધીધામમાં આવેલ કાર્ગો વિસ્તારમાં 38 વર્ષીય શખ્સનું ભેદી સંજોગોમાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના આંબેડકરનગર પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. હતભાગી ગત તા. 4/2ના રાત્રે સૂતા હતા બાદમાં મોડીરાત્રે તેને જગાડતાં તે ઊઠયો ન હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.