અંજારના વરસામેડીમાં પગપાળા જઈ રહેલ 23 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતાં મોત
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં પગપાળા જઈ રહેલ 23 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતાં જીવ ખોવાનો વારો આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 13/4ના રાતના સમયે કમલ ટિમ્બરમાં કામ કરી ત્યાં જ શ્રમિક વસાહતમાં રહેનાર પંકજ નામના યુવાન આ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ યુવાન વીડિયોકોન કંપની નજીકથી પગપાળા જઈ રહ્યો હતો તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટમાં લેતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.