સરકારી અધિકારીઓ/ કર્મચારીઓની રજાઓ રદ
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં, સરકારશ્રી દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સર્વે વિભાગ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓ (ખાતાના વડા, બોર્ડ/નિગમ, પંચાયત, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા, અનુદાનિત સંસ્થાઓ વિગેરે)ના અધિકારી/કર્મચારીઓની બધા પ્રકારની રજાઓ (અનિવાર્ય સંજોગો સિવાયની) તાત્કાલિક અસરથી રદ કરવા તથા રજા ઉપર ગયેલ અધિકારી/કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર કરવા આથી જણાવવામાં આવે છે.
વધુમાં, અધિકારી/કર્મચારીને વિભાગના વડા/ખાતાના વડા/કચેરીના વડાની પૂર્વ મંજુરી સિવાય મુખ્યમથક ન છોડવા પણ આથી જણાવવામાં આવે છે.
