વરસામેડીમાંથી મળી આવેલ કોહવાયેલી લાશ ઉત્તરપ્રદેશના શખ્સની હોવાનું સામે આવ્યું
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાંથી મળી આવેલ કોહવાયેલી લાશ ઉત્તરપ્રદેશના 40 વર્ષીય રામકૃષ્ણ નામના શખ્સની હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 14/6ના બપોરના સમયે અંજારના વરસામેડીમાં આવેલ ચૌધરી કોલોની પાછળથી અરસામાં અજાણ્યા યુવાનની કોહવાઇ ગયેલી લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવેલ હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આ લાશ ઉત્તરપ્રદેશના 40 વર્ષીય રામકૃષ્ણ નામના શખ્સની હોવાનું સામે આવ્યું છે.