આગામી ૨૧મી જૂને માંડવીનાં રમણીય દરિયા કાંઠે સાંસદ યોગ ઉત્સવ યોજાશે

copy image

૨૧મી જૂન વિશ્વ યોગ દિન તરીકે ઉજવાય છે. યોગ દિન ની પ્રેરણા અને પ્રસાર આપણાં
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ કર્યો અને જેનું અનુસરણ આજે વિશ્વભર માં થાય
છે. કચ્છ જીલ્લામાં માંડવી બીચ ઉપર સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા યોગ ઉત્સવ ઉજવવામાં
આવશે જીવન માં યોગ નું મહત્વ સમજાવવા આયોજન કરવામાં આવેલ છે. તા. ૨૧/૦૬/૨૦૨૫
શનિવારે સાંજે ૬.૦૦ કલાકે માંડવી વિન્ડફાર્મ બીચ ઉપર યોગ દિન ઉજવણી કરવામાં આવશે. કચ્છ
લોકસભા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તેમજ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા દર વર્ષ ની
જેમ બહોળી સંખ્યામાં લોકો ને યોગ ઉત્સવ માં ભાગ લેવા અપીલ કરવામાં આવેલ છે.