ભુજશહેર ભાજપ, કચ્છ સમર્પણ કેન્દ્ર તેમજ ભુજ નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિતે નવનિર્મિત વોક-વેનું “આરોગ્ય પથ” નામકરણ કરી સાદગીપૂર્ણ રીતે પ્રજા સમક્ષ ખુલ્લું મુકાયું

આજરોજ કચ્છ મોરબીના સાંસદશ્રી માન. વિનોદભાઈ ચાવડા સાહેબ, કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદજી ની ઉપસ્થિતિમાં સૌપ્રથમ વિશ્વ યોગ દિવસ નિમિતે યોગ-ધ્યાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસદશ્રી તેમજ કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખશ્રીના વરદ હસ્તે ભુજ શહેરના ખેંગારપાર્કના વોક-વેનું “આરોગ્ય પથ* નામકરણ કરીને પ્રજા સમક્ષ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અમદાવાદમાં બનેલ પ્લેન કેશ દુર્ઘટનાને ધ્યાને લેતા એકદમ સાદગીપૂર્ણ રીતે લોકાર્પણ પ્રક્રિયા કરવામાં આવી હતી.

આ અંગે માન. સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના અનેક કામો ચાલુમાં છે. પરંતુ ખેંગારપાર્કનું આ વોક-વે સમય સાથે મરમ્મત માંગતું હતું જેનું નવીનીકરણ કરવું જરૂરી હતું જેને નવનિર્મિત કરવામાં આવ્યું છે જેને આજે પ્રજા સમક્ષ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ અંગે કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ માન શ્રી દેવજીભાઈ વરચંદજીએ જણાવ્યું હતું કે આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિતે સૌપ્રથમ નગરજનોની સુખાકારી તેમજ આરોગ્યપ્રેમી જનતા માંગને ધ્યાને લઇને વોક-વેનું નવીનીકરણ કરવું જરૂરી હતું જેને પગલે આજરોજ તેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.

આ અંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રી મહીદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકામાં નવી પાંખ આવ્યા બાદ શહેરનો વિકાસ ચોતરફો થઈ રહ્યો છે ત્યારે શહેરની ખુટતી વિકાસ ની કડીઓ પૂરી કરવામાં સમગ્ર ટીમ કટીબદ્ધ છે. ભુજ શહેર છે એ હવે ટુરીઝમ હબ બનતું જાય છે, સાથે સાથે ખેંગારપાર્કના વોક-વેને રીનોવેટ કરી “આરોગ્ય પથ’ નામકરણ કરીને એક નવા જ સ્વરૂપે આજરોજ શહેરને ભેટ આપવામાં આવી છે તેમજ આવનારા દિવસોમાં શહેરની ખુટતી કડીઓ પુરી કરવાની અમે ખાતરી આપીએ છીએ.

આ અંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ૧.૦ ગ્રાન્ટ SBM ના રીવાઈઝડ કામો અંતર્ગત ધન કચરા વ્યવસ્થાના નિયમોનો વધુ અસરકારક કામગીરી થાય તે માથે ભુજ નગરપાલિકા દ્વારા ૦૭ હાઇડ્રોલિક ટીપ્પર તેમજ ૦૩ ટ્રેક્ટર વીથ ટ્રોલી ખરીદ કરવામાં આવ્યું છે જે આથી શહેરની સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવશે તેમજ આવનારા દિવસોમાં શહેરની ખુટતી કડીઓ પુરી કરવાની અમે ખાતરી આપીએ છીએ.

ઉપરોક્ત પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગોર, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સી. ઠક્કર, ભુજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા કમલભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના દંડક રાજેશભાઈ ગોર, ભુજ નગરપાલિકા બાંધકામશાખાના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, વોટરસપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કર, સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા, ટેક્સ સમિતિના ચેરમેન બીન્દીયાબેન ઠક્કર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન મનીષાબેન સોલંકી, રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિના ચેરમેન ક્રિષ્નાબા જાડેજા, ભુજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર તેમજ

નગરસેવકોમાં મનુભા જાડેજા, ધીરેનભાઈ શાહ, સાવિત્રીબેન જાટ, મોહમદહનીફભાઈ માંજોઠી, તેમજ જીલ્લા ભાજપના હોદ્દેદ્દારો, શહેર ભાજપના હોદ્દેદારો તથા સામાજીક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોક્ત તમામ કાર્યક્રમો અમદાવાદ મધ્યે થયેલ પ્લેન દુર્ઘટનાને પગલે એકદમ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યા હતા.