ત્રિવેદી પરિવારે કુલ 21 હારથી મામેરું ભર્યું, તમામ વસ્તુઓ પરિવારની મહિલાઓએ નક્કી કરી

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલાંના શુભપ્રસંગો શરૂ થયા છે. સરસપુર મોસાળ મંદિરે વાસણાના ત્રિવેદી પરિવારે ભાવભેર મામેરું અર્પણ કર્યું. આજે સવારે 8 કલાકથી ભક્તોની ભારે ભીડ સાથે શોભાયાત્રા વાસણા એરિયામાં કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી માટે ખાસ વાઘા અને સોના-ચાંદીના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે, તેના દર્શન કરવા તમામ લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ તમામ વાઘા ત્રિવેદી પરિવારની મહિલાઓ દ્વારા તૈયાર કરાવડવામાં આવ્યા આવ્યા હતા, 10 વર્ષ બાદ મામેરાનો લ્હાવો ત્રિવેદી પરિવાર મળ્યો હતો. તેથી આજે સવારે 8 કલાકે વાસણા વિસ્તારમાં 2 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં 5 હજારથી વધારે લોકો જોડાયા હતા અને ખાસ કેરાલાથી સ્પેશ્યલ નૃત્ય કરવા માટે કેરાલીયન કલાકારો ને આ શોભાયાત્રા માટે આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા. તે સાથે અન્ય સંગઠનો દ્વારા કરતબ કરી શોભાયાત્રામાં જોડાયેલા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ