અમદાવાદમાં વિકરાળ આગ : સુરક્ષાના પગલે રસ્તા બંધ કરાયા

copy image

અમદાવાદ શહેરમાં આજે તા 25ના દિવસે બેરલ માર્કેટમાં વહેલી પરોઢે આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદમાં આવેલ ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં વહેલી સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. બનાવને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અમુક ક્ષણોમાં જ આગ એટલી બધી વિકરાળ બની હતી કે, રોડ સુધી ફેલાઈ ગઈ હતી અને સુરક્ષાના પગલે સમગ્ર રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.