ભુજના લશ્કરી મથકના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : રૂા. 1.26 લાખની ઉઠાંતરી કરી થયા ફરાર

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજના લશ્કરી મથકની અંદર આવેલા રહેણાક મકાનનાં બંધ ઘરમાંથી રૂા. 1.26 લાખની ઉઠાંતરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહાર હાલે ભુજના મિલિટરી કેમ્પસમાં રહેનાર અજિતસિંહ રોહનસિંહે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર ગત તા. 27/6ના રોજ ફરિયાદી પોતાનું ઘર બંધ કરી રજામાં વતન ગયેલ અને પરત આવીને જોતાં તેમના ઘરના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળેલ હતા ઉપરાંત ઘરમાં રહેલી તિજોરીમાંથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. બાદમાં વધુ તપાસ કરતાં અહીથી રૂા. 1,26,000ના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.