ભુજમાં મધુમેહ (ડાયાબિટીસ), સિટીઝન કેર, હરસ-મસા-ભગંદરના આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ નિ:શુલ્ક કેમ્પનું આયોજન
ભુજ ખાતે આયુષની કચેરી, ગાંધીનગર તથા વૈદ્ય પંચકર્મ શ્રી વર્ગ-૧ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા નિ:શુલ્ક મધુમેહ (ડાયાબિટીસ) હરસ-મસા-ભગંદરના નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સીનિયર સિટીઝન કેર કેમ્પનું ૬ ઓગસ્ટને બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ કેમ્પ સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાકે અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ કલાકે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે યોજાશે.
આ કેમ્પમાં નિ: શુલ્ક બ્લડ સુગર, હિમોગ્લોબીન અને ડાયાબિટીસ ટેસ્ટ, હરસ, મસા, ભગંદર તથા મેદસ્વિતાના દર્દીઓ માટે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર બાબતનું માર્ગદર્શન સારવાર અને સલાહ આપવામાં આવશે. સીનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારનું સ્વાસ્થ્યવર્ધક ઔષધ આપવામાં આવશે તેમ વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે