ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં 20 વર્ષીય યુવાને જીવ ખોયો

body

copy image

copy image

રાપર ખાતે આવેલ ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં 20 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ફતેહગઢમાં રહેનાર હતભાગી એવો હરેશ રજપૂત નામનો યુવાન ગત તા. 30/12ના રોજ બપોરના સમયે નર્મદા કેનાલ પાસે હતો તે સમયે પગ લપસી જવાથી કેનાલમાં પડી જતાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.